Maharashtra : આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ, શિવસેના-એનસીપી-કોંગ્રેસના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે,
Live TV
-
સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો રાજ્યના પ્રધાનપદે શપથ લેશે. રવિવારે મંત્રીઓના નામનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રધાનોમાંથી 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના હશે. મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે આ વિશે માહિતી આપી હતી એક મહિના પહેલા 28 નવેમ્બરના રોજ જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શપથ લીધા હતા, ત્યારે તેઓ અને તેમની સાથે છ પ્રધાનોએ પણ શપથ લીધા હતા. તેમાં એનસીપીના છગન ભુજબલ અને જયંત પાટિલ, કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નીતિન રાવત અને શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ હતા.સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટ વિસ્તરણ માટેની તારીખ કોંગ્રેસને કારણે હતી.
