અમિત શાહે પીએમના નિર્ણયને આવાકાર્યો
Live TV
-
PM મોદી મજબૂત નેતૃત્વ બતાવે છે : અમિત શાહ
RCEP એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર ન કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયનું ગૃહમંત્રી અમીત શાહે સ્વાગત કર્યું છે. અમીત શાહે ટ્વિટ કરી જણાવ્યું છે કે, RCEP પર સમજૂતી ના કરવાનો ભારતનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત નૈતૃત્વ અને દરેક પરિસ્થિતિમાં રાષ્ટ્રીય હિતને જાળવી રાખવાના દ્રઢ સંકલ્પનું પરિણામ છે. આ નિર્ણય આપણા ખેડૂતો, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો, ડેરી તેમજ નિર્માણ ક્ષેત્ર, દવા-ખાતર અને રસાયણિક ઉદ્યોગોને મદદ કરશે. પીએમનું વર્ષો સુધી અડગ રહેવું કે અમારા હિતોનું ધ્યાન રાખવામાં નથી આવતું તો અમે સમજૂતીમાં સામેલ થઈશું નહીં. આમ પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે.
