ભારતે RCEPમાં ન જોડાવાનો કર્યો નિર્ણય
Live TV
-
14માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં જોડાયા PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની સફળ યાત્રા પર સ્વદેશ આવી ગયા છે. આ દરમિયાન પીએમ મોદી આશિયાન ભારત શિખર સંમેલન, પૂર્વી એશિયા શિખર સંમેલન અને RCEP શિખર સંમેલનમાં સામેલ થયા હતા તેમજ પીએમ મોદીએ ક્ષેત્રિય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
ભારતે ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી એટલે RCEPમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે, જ્યાં સુધી ભારતને થનાર અસમાન વ્યાપારીક નુકસાન અને ભારતીય વ્યવસાય તેમજ ઉત્પાદકોને સમાન અધિકાર નહીં મળે ત્યાં સુધી ભારત આ સમજૂતીમાં સામેલ થશે નહીં. પીએમે જણાવ્યું કે, હાલના RCEPના નિયમોમાં તેમને ઉણપ લાગે છે. આ સમજૂતી ભારતની ચિંતા અને સમાધાનનું સંપૂર્ણ રીતે નિરાકરણ લાવતી નથી. માટે આવી પરિસ્થિતિમાં ભારત RCEPમાં સામેલ થઈ શકશે નહીં. તેમજ ભારત વ્યાપક ક્ષેત્રિય એકિકરણની સાથે સાથે મુક્ત વ્યાપારના પક્ષમાં છે.
