અમિત શાહ આજે છત્તીસગઢના રાયગઢમાં ચૂંટણી સભાને સંબોધશે
Live TV
-
ઓડિશાના ધનકનાલ ખાતે જાહેર સભાને સંબોધી હતી
અમિત શાહ આજે છત્તીસગઢના રાયગઢ ખાતે ચૂંટણી સભાને સંબોધશે. અમિત શાહે ઓડિશાના ધનકનાલ ખાતે જાહેર સભા સંબોધી હતી. જ્યાં તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે ઓડીશામાં પટનાયક સરકારે રાજ્યમાં કશું કામ કર્યું નથી. બીજેપીની સરકાર બનશે તો આગામી વર્ષ 2022 સુધીમાં ઓડિશાના દરેક ગરીબ પાસે પોતાના પાક્કા મકાન અને ઘરમાં પીવાનું પાણી હશે. આ અગાઉ અમિત શાહે મહારાષ્ટ્રના સાંગલી ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે વોટબેંકની રાજનીતિ માટે કોંગ્રેસ દેશની સુરક્ષાને કોરે મુકી દીધી હતી.
