અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની ચૂંટણી સભા, રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
Live TV
-
કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી લોકસભાના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ આજે એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે ઉત્તરપ્રદેશના અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. સ્મૃતિ ઇરાનીએ ચૂંટણી સભાને સંબોધતાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે અમેઠીમાંથી ગૂમ થયેલા સાંસદ કેરળથી ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. કોંગ્રેસે ખેડૂતોને વિકાસથી દૂર રાખ્યાં. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને વિજ્ઞાન સાથે જોડીને તેને વિકાસની રાહ ચિંધાડી. આ અવસરે સ્મૃતિ ઇરાનીએ ભાજપ સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી અને જણાવ્યું કે 2019 લોકસભા ચૂંટણીમાં વિકાસની જીત થશે.
