અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી
Live TV
-
ભારતીયોને આગામી નિર્દેશ સુધી ઈરાકની યાત્રા ન કરવા સૂચના
ઈરાન અને અમેરિકાની તણાવગ્રસ્ત પરિસ્થિતિને લઈને ઈરાક યાત્રા કરવાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઇરાનમાં ,હાલની સ્થિતિને જોતા ભારતીયોને ,આગામી નિર્દેશ સુધી ઈરાકની યાત્રા ,ન કરવાનું, સૂચન કરવામાં આવે છે./ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ઇરાકમાં રહેતા ,ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ત્યાં ઈરાકની અંદર પણ ,યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેમણે ઉમર્યું છે કે, બગદાદ સ્થિત ભારતીય દૂતાવાસ અને ઈરબિલ સ્થિત વાણીજ્ય દૂતાવાસ ઈરાકમાં વસતા ,ભારતીય લોકોની સતત મદદ કરી રહ્યું છે. /બીજી તરફ નાગરિક ઉડ્ડયન મહાનિદેશક ડીજીસીએ એ પણ ભારતીય એરલાઈન્સ કંપનીઓને ,ઇરાન-ઈરાક, ઓમાનની ખાડી અને ફારસની ખાડી ,જેવા હવાઈ ક્ષેત્રમાં ,પુરી સાવધાની રાખવાનું જણાવ્યું છે. મહાનિર્દેશાલયે ,સંબંધીત તમામ એરલાઈન્સના અધિકારીઓ સાથે ,બેઠક યોજી હતી ,અને તેમને સતર્ક રહેવાની ,અને સાવધાની રાખવાનું જણાવ્યું છે. /આ સ્થિતિને પગલે ,કેટલીક વિમાન કંપનીઓએ, પોતાનો રૂટ ડાઈવર્ટ કર્યો છે.
