અમેરિકી આયોગના નિવેદન પર વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી કડક આપત્તિ
Live TV
-
અમેરિકી આયોગનું નિવેદન બિન જરૂરી છે અને આ નિવેદન સાચું પણ નથી - વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલે અમેરિકી આયોગના નિવદેનો પર કડક આપત્તિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકી આયોગનું નિવેદન બિન જરૂરી છે અને આ નિવેદન સાચું પણ નથી. અમેરિકી આયોગે લોકસભામાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થવા બદલ ચિંતા વ્યક્ત કરી છે. જેની પર આજે વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું છે કે, નાગરિકતા સંશોધન વિધેયક અને NRC ની પ્રક્રિયા કોઈ પણ ધર્મને માનનારા ભારતીય નાગરિકની નાગરિકતા ને કોઈ પણ રીતે પ્રભાવિત કરતી નથી.
