અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 18 ઓક્ટોબર સુધી દરેક પક્ષ પૂરી કરે ચર્ચા
Live TV
-
18 ઓક્ટોબર સુધી દરેક પક્ષ પૂરી કરે ચર્ચા, મધ્યસ્થતાનો પણ રસ્તો ખૂલ્યો
અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 26મા દિવસે સુનાવણી થઈ અને ચર્ચા દરમિયાન દરેક પક્ષોએ પોતાની ચર્ચા પૂરી કરવાની સમયમર્યાદા કોર્ટને જણાવી હતી. જે પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક પક્ષ 18 ઓક્ટોબર સુધી ચર્ચા પૂરી કરવાની કોશિશ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું કે જો બધા પક્ષ સમયમર્યાદાનું પાલન કરે છે તો આ કામ મુશ્કેલ નથી.
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે આ દરમિયાન સુનાવણી ચાલતી રહેશે. કોર્ટે એ પણ કહ્યું કે જો દરેક પક્ષ પરસ્પર વાતચીત દ્વારા આ મામલે ઉકેલ ઈચ્છે છે તો મધ્યસ્થતા કરી શકે છે.
