અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે તમામ 18 પુનર્વિચારની અરજી ફગાવી
Live TV
-
અયોધ્યાની રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રિમ કોર્ટના નિર્ણય પર રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ ગુરુવારે સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી છે.
સુપ્રિમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે કહ્યું કે, આ અપીલોમાં કોઈ મેરિટ નથી. 9 નવેમ્બરના રોજ કરાયેલ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અરજીનો કોઈ આધાર નથી. આ મામલે થયેલી 18 પુનર્વિચારની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી..અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના ચુકાદા વિરુદ્ધ દાખલ તમામ પુનર્વિચાર અરજીને બંધારણીય બેન્ચે ફગાવી દીધી છે..ગુરવારે પાંચ જજોની બંધારણીય બેન્ચે ચેમ્બરમાં સુનાવણી કરીને આદેશ આપીને કહ્યું કે અરજી અને તેની સાથે દાખલ કરેલા દસ્તાવેજોને જોયા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે આ કેસમાં ફરીથી સુનાવણી કરવાની કોઈ આવશ્યકતા નથી..
