અરવિંદ કેજરીવાલ આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના લેશે શપથ
Live TV
-
રામલીલા મેદાન ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. રામલીલા મેદાન ખાતે આ સમારોહ યોજાશે. દિલ્હીના ઉપરાજયપાલ અનીલ બેજલ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. કેજરીવાલે પોતાની ગત સરકારના કેબિનેટ મંત્રીઓને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ ગત સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70માંથી 62 બેઠકો જીતી હતી.
