અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સર્વપક્ષિય બેઠક બોલાવી
Live TV
-
છ આદિવાસી સમુદાયોને સ્થાઈ નિવાસી પ્રમાણપત્ર આપવાના પ્રસ્તાવ વિરૂદ્ધ રાજ્યમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.
ઈટાનગરમાં થઈ રહેલ હિંસાની વચ્ચે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આજે સર્વપક્ષિય બેઠક બોલાવી છે. છ આદિવાસી સમુદાયોને સ્થાઈ નિવાસી પ્રમાણપત્ર આપવાના પ્રસ્તાવ વિરૂદ્ધ રાજ્યમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, PRC પર હવે આગળ કોઈ પગલાં લેવાશે નહીં. મુખ્યમંત્રીએ લોકોથી રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે.
