અરૂણ જેટલીએ નેશનલ કોન્ફરન્સની માંગણીની કરી ટીકા
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અરૂણ જેટલીએ વજીર એ આઝમ અને સદર એ રિયાસતના પદને બીજી વખત કાર્યરત કરવાની નેશનલ કોન્ફરન્સની માંગણીની ટીકા કરી છે.જેટલીએ એક ફેસબુક બ્લોગ "એક દેશ દો વિધાન, દો પ્રધાન"માં જણાવ્યું છે કે, વજીરે એ આઝમ અને સદર એ રિયાસતના પદની માંગણી કરવી તે અલગાવવાદી માનસિકતા છે.
જેટલીએ તેમના બ્લોગમાં લખ્યું કે, આ પ્રકારની માંગણી કરનારને અહેસાસ નથી કે, તે દેશને કેટલું નુકસાન પહોંચાડી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે આજનું નવું ભારત કોઇ પણ રાજકિય પક્ષને ભૂલ કરવાની પરવાનગી નહીં આપે. તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરનો મુખ્ય રાજકિય પક્ષ તેની ઓળખ ગુમાવી રહ્યો છે
