અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયતને લઈ ફેલાયેલ અફવાનું ખંડન
Live TV
-
તિહાજ જેલમાં બંધ યાસિન મલિક સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું જેલના અધિકારીએ નિવેદન
નવી દિલ્હીના તિહાડ જેલમાં બંધ જમ્મુ - કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયતને લઈને ફેલાયેલ અફવાનું જેલના ડીજીએ ખંડન કર્યું છે. તિહાડ જેલના ડીજીને રવિવારે રાત્રે જણાવ્યું કે, અલગાવવાદ નેતા મલિક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેની તબિયત સારી છે. તેના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. યાસીન મલિકની પત્નીએ દાવો કર્યો હતો કે, જેલમાં તેમની તબિયત લથડી રહી છે અને તેઓને તાત્કાલિક સારવારની જરૂર છે
