આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર એએસઆઈ સંરક્ષિત સ્મારકોમાં મહિલાઓને મફત પ્રવેશ
Live TV
-
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ-એએસઆઈ દ્વારા સુરક્ષિત તાજમહેલ સહિતના તમામ સ્મારકોમાં ભારતીય અને વિદેશી મહિલાઓનો પ્રવેશ મફત રહેશે
સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે એએસઆઈ સ્મારકોમાં મહિલા મુલાકાતીઓની સુરક્ષા માટે સંપૂર્ણ સમર્પિત છે. તેમણે કહ્યું કે ભારતમાં મહિલાઓને સન્માન આપવાની મહાન પરંપરા છે અને વિશ્વની મહિલા શક્તિને આ સંસ્કૃતિ મંત્રાલય તરફથી એક નાની ભેટ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગત વર્ષે ઓગસ્ટમાં, આગ્રામાં તાજમહેલ સંકુલમાં બાળ સંભાળ ખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્મારકોમાં આવા અનેક સ્મારકો બનાવવામાં આવ્યા છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે, મહિલા દર્શકોને તપાસવા લાલ કિલ્લાના પ્રવેશદ્વાર પર મહિલા સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી છે.
