એશિયા નેટ ન્યૂઝ અને મીડિયા વન પરનો 48 કલાકનો પ્રતિબંધ હટ્યો
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કેરળમાં બે ટીવી ચેનલો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે અને સંબંધિત અધિકારીઓ આ મામલે વધુ તપાસ કરશે.
જન ઔષધિ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિડિઓ કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી જાવડેકરે કહ્યું કે સરકારે હંમેશાં પ્રેસની સ્વતંત્રતાની તરફેણ કરી છે. સૂચના પ્રસારણ મંત્રાલયે બે મલયાલમ સમાચાર ચેનલો પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો, જેને હટાવવામાં આવ્યો છે. મીડિયા વન અને એશિયાનેટ ન્યૂઝ ચેનલો પર દિલ્હી હિંસાનુ પૂર્વા ગ્રહયુક્ત કવરેજ પ્રસારીક કરવા બદલ પ્રસારણ કોડના ભંગ બંદલ કાર્યવાહી કરવામાં આવી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કેરલની બે સમાચાર ચેનલોના પ્રસારણને 48 કલાક માટે પ્રતિબંધિત કરી હતી. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસાની ઘટનાના કવરેજમાં પ્રસારણના માપદંડોના ભંગના કારણે મલયાલમ ચેનલ એશિયાનેટ ન્યૂઝ અને મીડિયા વન પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
