આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે આજે સરકાર બેઠક યોજી વાતચીત કરશે
Live TV
-
કૃષિનિતીને લઇ સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબધ્ધ છે. તો આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સરકાર આજે બેઠક યોજી વાતચીત કરશે. આ વાતચીત કરવા દિલ્હી વિજ્ઞાનભવન ખાતે સરકારે બપોરેના સમયે ખેડૂતોને આમંત્રણ પણ પાઠવ્યું છે.
આ અગાઉ પણ યોજી હતી બેઠક
દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા ખેડૂત સંગઠનોએ કૃષિમંત્રી સાથે અગાઉ પણ બેઠક યોજી હતી અને ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઇ સરકારે સાત્વના પાઠવતા કહ્યું હતું કે, સરકાર ખુલ્લા મનથી અને પ્રાસંગિક મુદ્દાઓનું સમાધાન કરવા કટિબદ્ધ છે. તો આ સાથે વાતચીતમાં કૃષિકાયદા અને MSPની ખરીદી પર વ્યવસ્થા સાથે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા અંગે આયોગ અધ્યાદેશ- 2020, વિદ્યુત સંશોધન વિધેયક- 2020માં ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
