આંધ્રપ્રદેશમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો, 4 જિલ્લામાં 3 દિવસ સુધી ઓરેંજ એલર્ટ જાહેર કરાયો
Live TV
-
તમિલનાડુ બાદ હવે આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. કાલે નેલ્લોર, કડપ્પા, પ્રકાસમ અને ચિત્તૂર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને લીધે આવેલ પૂરથી અત્યાર સુધી 44 લોકોના મૃત્યુ થયા છે. હવામાન વિભાગે પશ્ચિમી ડિસ્ટર્બન્સને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આજથી ત્રણ દિવસ સુધી પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કડપ્પા, પ્રકાસમ અને ચિત્તૂરમા ઓરેંજ એલર્ટ જાહેર કરાયો છે.
