આગામી 10 વર્ષમાં 100 ટકા થશે રેલવેનું વિદ્યુતીકરણ
Live TV
-
નાણાકીય વર્ષ 2019-20મા ભારતીય રેલવેએ પોતાની ઉર્જાની જરૂરીયાતો માટે 22.44 અબજ યૂનિટ વિજળી અને 3.1 અબજ લીટર હાઈ સ્પીડ ડીઝલનો ઉપયોગ કર્યો છે.
સરકારે રેલવેને 100 ટકા વિદ્યુતીકરણ કરવાનો નિર્ણય લીધો છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાને લીધે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે મંત્રી પીષૂય ગોયલે બુધવારે આ જાણકારી આપી હતી. ગોયલે કહ્યું કે, તેમણે આગામી 10 વર્ષમાં રેલવેને નવી ઉર્જાથી ચલાવવાનું મિશન રાખ્યું છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી રેલવે હશે જે સંપૂર્ણ પણે વિદ્યુતીકરણથી ચાલતી હશે. રેલવે મંત્રાલયે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને પર્યાવરણની રક્ષા કરવા માટે આ પગલું ભર્યું છે. નાણાકીય વર્ષ 2019-20મા ભારતીય રેલવેએ પોતાની ઉર્જાની જરૂરીયાતો માટે 22.44 અબજ યૂનિટ વિજળી અને 3.1 અબજ લીટર હાઈ સ્પીડ ડીઝલનો ઉપયોગ કર્યો છે, સ્ટાર્ટઅપને આ ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવવાની છે.
