આજથી ખુલશે સબરીમાલા મંદિરના દ્રાર, ત્રણ જગ્યા પર ક્લમ 144 લાગુ કરાઇ
Live TV
-
આજથી ખુલશે સબરીમાલા મંદિરના દ્રાર, ત્રણ જગ્યા પર કલમ 144 લાગુ કરાઇ, કડ્ક સુરક્ષા વ્યવસ્થા કરવા માટે કંમાન્ડો સહિત 1850 પોલિસકર્મીઓ તૈનાત કરાયા છે.
કેરળના સબરીમાલા અયપ્પા મંદિરની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડ્ક કરી દેવામાં આવી છે.. જયાં શનિવાર મધરાતથી નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી છે.. મંદિરના કપાટ આજે વિશેષ પુજા માટે ખોલવામાં આવશે. નિષેધાજ્ઞા મંગળવાર સુધી લાગુ રહેશે.. સરકાર દ્વારા સુરક્ષામાં વધારો કરતા કમાન્ડો સહિત લગભગ 1850 પોલિસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.. સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ પોલિસ વિભાગના અપર મહાનિદેશક સ્તરના અધિકારીઓ કરી રહ્યા છે. રાજયના પોલિસ વડા લોકનાથ બેહરાએ જણાવ્યું હતું કે તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થયા બાદ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને રાહત આપવામાં આવશે..
