કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં વ્યાપ નકસલવાદને ક્રાંતી કરે છે: અમિત શાહ
Live TV
-
મુખ્યમંત્રી રમણસિંહે છત્તીસગઢને બિમારુ રાજ્ય માંથી વિકાસશીલ રાજ્યમાં તબદીલ કર્યું છે. ભાજપા અધ્યક્ષે ખુજ્જી ઉપરાંત અન્ય બે વિધાન સભા ક્ષેત્રમાં જનસભાને સંબોધન કર્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છત્તીસગઢમાં ત્રણ રેલીને સંબોધન કર્યું હતું. અમિત શાહે ખુજ્જી વિધાનસભાના અંબાગઢ ચોકીમાં કોંગ્રેસ પાર્ટી ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં વ્યાપ નકસલવાદને ક્રાંતી કરે છે. તેમણે કહ્યું કે સત્તા માટે નકસલવાદને ક્રાંતી કરી સમર્થન આપનાર કોંગ્રેસે સમજવું જોઈએ કે ગરીબની ભૂખ દૂર કરવી તે જ ક્રાંતિ છે. જે રાજ્યમાં રમણ સિંહના નેતૃત્વમાં ભાજપ સરકારે કર્યું છે. ભાજપ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી રમણસિંહે છત્તીસગઢને બિમારુ રાજ્ય માંથી વિકાસશીલ રાજ્યમાં તબદીલ કર્યું છે. ભાજપા અધ્યક્ષે ખુજ્જી ઉપરાંત અન્ય બે વિધાન સભા ક્ષેત્રમાં જનસભાને સંબોધન કર્યું હતું.
દરમિયાન બસપા સુપ્રિમો માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર નિશાન સાધ્યું છે. બે દિવસના છત્તીસગઢ પ્રવાસે આવેલી માયાવતીએ જણાવ્યું હતું કે ખેડૂત, ગરીબ, મજૂર આજે પણ પરેશાન છે. માયાવતીએ અંબિકા પુરના કલાકેન્દ્ર મેદાનમાં ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું હતું. કેન્દ્ર સરકારની નીતિના કારણે ગરીબ વધી છે.
