આજથી મુંબઇમાં દોડતી થઇ 350 લૉકલ ટ્રેન
Live TV
-
રેલવે મંત્રી પિયૂષ ગોયલે ટ્વિટ કરી આપી જાણકારી, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો જ સેવાનો લાભ લઇ શકશે
મુંબઈમાં આજથી વધુ 350 લૉકલ ટ્રેન દોડતી થઇ ગઈ છે. જોકે આ લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે નહિ પણ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો માટે હશે. રેલવે મંત્રી પિયૂષ ગોયેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, લૉકલ ટ્રેન સુવિધા માત્ર જરૂરિયાતમંદ સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે છે. બેંક કર્મચારીઓ, પોસ્ટલ કર્મચારી, આઇટી કર્મચારી, જીએસટી, કસ્ટમ, ન્યાયપાલિકા, સુરક્ષા અને રાજભવન સાથે જોડાયેલા કર્મચારીઓ લોકલ સેવાનો લાભ લઈ શકશે.
