આજે અયોધ્યા મામલે ચૂકાદો , PM નો સંદેશ , શાંતિ જાળવી રાખવા કરી અપીલ
Live TV
-
અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણ ય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય - PM
અયોધ્યા મામલે ચુકાદા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ સંદેશ દ્વારા અપીલ શાંતી જાળવી રાખવાની અપીલ કરી છે... પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું છે કે, કોર્ટના ચુકાદા બાદ પણ સૌને સૌહાર્દ જાળવી રાખવાનો છે.. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે, આપણી સૌની એ પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે... પ્રધાનમંત્રીએ ઉમેર્યું છે કે,અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણ ય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય...
