PM નરેન્દ્ર મોદીએ સુલતાનપુર લોધીના બેર સાહિબના ગુરુદ્વારામાં ટેકવ્યુ માથુ
Live TV
-
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં
આજે કરતારપુર સાહિબ કોરિડોરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. ત્યારે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુલ્તાનપુર લોધી સ્થિત બેર સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યાં હતા, અહીં તેમણે ગુરૂદ્વારામાં નતમસ્તક થઈને શિશ ઝુંકાવ્યું હતું...સાથે જ તેમણે ગુરૂદ્વારામાં રાખેલી દાનપેટીમાં ચઢાવો પણ ચડાવ્યો અને પ્રસાદી ગ્રહણ કરી હતી.. ગુરૂદ્વારામાં દર્શન કર્યા બાદ તેમણે અન્ય શ્રદ્ધાળુ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત પણ કરી હતી.. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં... મહત્વપૂર્ણ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાબા નાનકના સાર્વજનિક સમારોહમાં આજે ભાગ પણ લેશે... ઉલ્લેખનીય છે કે, કરતારપુર સાહિબ ગુરુદ્વારા આજે દેશની પ્રથમ બેચની મુલાકાત લેવા માટે જશે , જેમાં પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને અન્ય ઘણા અગ્રણી નેતાઓ શામેલ હશે.
