આજે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ, રાષ્ટ્રપતિ,PMએ આપી શુભેચ્છા
Live TV
-
અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં આજે નીકળશે જુલુસ
આજે ઈદ મિલાદ ઉન નબીનો તહેવાર છે. ઈસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિનામાં રવિ ઉલ અવલ્લની 12મી તારીખે પેંગમ્બરે ઈસ્લામ હજરત મોહંમદનો જન્મ અરબની ભૂમિ મક્કામાં થયો હતો. હજરત મોહંમદના જન્મ પ્રસંગે પૂરી દુનિયામાં મુસલમાન ઈસ્લામના આખરી પેંગમ્બરને શ્રદ્ધાંજલિ આપે છે. હજરત મોહંમદને સંપૂર્ણ જીવન માનવતાને નામે હતું, તેમનું જીવન ભાઈચારો વધારવાની શિક્ષા આપે છે. આ દિવસે સવાર સુધી પ્રાર્થનાઓ કરવામાં આવે છે.
પૈગંબર મોહમ્મદના પ્રતીકાત્મક પગના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે મોટા જુલૂસ પણ નીકળે છે. આ દિવસે પૈગંબર સાહેબને વાંચી અને તેમને યાદ કરવામાં આવે છે. આ દિવસે લોકો કુરાન પણ વાંચે છે. આ ઉપરાંત લોકો મક્કા અને મદીનાની દરગાહ પર પણ જાય છે. કહેવાય છે કે આ દિવસે જે લોકો અલ્લાહની નજીક જાય છે તેના પર અલ્લાહની રહેમ રહે છે. મહિસાગર અને દેવભૂમિ દ્વારકામાં પણ ઈદ-એ-મિલાદની ઉજવણી કરાઈ
