આજે કોરોના વાયરસના ખતરાનો સામનો કરવા એક દિવસનો દેશ વ્યાપી જનતા કરફ્યું
Live TV
-
ગુજરાત સહિત દેશભરમાં આજે કોરોનાને પ્રસરાતો અટકાવવા માટે જનતા કર્ફ્યુ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, જનતા કરફ્યુ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ મોલ્સ, શોપિંગ સેન્ટર, દુકાનો, રેલવે સેવાઓ, તથા બસ સેવા પર રોક લગાવવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જનતા ને જનભાગીદારીના રુપે રવિવારે જનતા કર્ફયુનો અમલ કરવા જણાવ્યુ હતુ.આ ઊપરાંત તેમણે કહ્યું કે માસ્ક અને સેનેટાઈઝરના ઊત્પાદન પર ભાર મુકવામાં આવ્યો છે.દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાની જરુર નથી. અને જો પહેરે તો ટ્રીપલ લેયર માસ્ક પણ ચાલી શકે છે. જેને શરદી ખાંસી હોય તેવા વ્યક્તિઓએ જ માસ્ક પહેરવું.
