આજે જનઔષધી દિવસઃ પીએમ મોદી જનઔષધી દિવસ સમારોહમાં સંબોધન કર્યુ
Live TV
-
આ સમારોહમાં પ્રધાનમંત્રી જનઔષધી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને પ્રધાનમંત્રી હિતધારકોને તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમનું સન્માન કર્યુ હતુ
આજનો દિવસ દેશમાં જનઔષધી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જન ઔષધિ દિવસ સમારોહને સંબોધિત કર્યુ હતુ. આ સાથે જ પ્રધાનમંત્રી નોર્થ-ઈસ્ટર્ન ઇન્દિરા ગાંધી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સીસ શિલોન્ગમાં 7500મુ જનઔષધી કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યુ
આ સમારોહમાં પ્રધાનમંત્રી જનઔષધી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને પ્રધાનમંત્રી હિતધારકોને તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમનું સન્માન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના અંતર્ગત ઓછા દરે ગુણવત્તાયુક્ત દવા મળતા લોકોને ખૂબ જ ફાયદો થયો છે. આ કેન્દ્રોમાં મળતી દવાઓ 50 થી 90 ટકા સુધી સસ્તી હોય છે. આ પરિયોજના અંતર્ગત આવા જનઔષધી કેન્દ્રની સંખ્યા 7500 સુધી પહોંચી છે. આવા જનઔષધી કેન્દ્ર દેશભરમાં તમામ જિલ્લામાં છે.
