આજે જૈવ ઇંધણ દિવસ 2018નું ઉદઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ 2018નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનતાને સંબોધન પણ કરશે.
પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ 2018નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનતાને સંબોધન પણ કરશે. જેમાં ખેડૂત વૈજ્ઞાનિક , ઉદ્યોગકાર, વેપારી અને સરકારી જનપ્રતિનિધિ પણ સામેલ થશે. આ પ્રસંગે કેન્દ્રિય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓના હાજર રહેવાની આશા સેવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહેશે. પ્રધાનમંત્રીએ ભારતમાં તેલ આયાતની નિર્ભરતા ઓછી કરવા માટે ઈથેનોલને પેટ્રોલમાં ભેળવવા મામલે સતત ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય બાયો ફ્યુઅલ નીતિનું લક્ષ્ય ઈથેનોલ મિશ્રણને 20 ટકા વધારવાનું છે. સાથે જ 2030 સુધી ઈથેનોલ મિશ્રણને પાંચમાં સ્તર પર લઈ જવાનું છે.
