ટ્રિપલ તલાક સંશોધન બિલને કેબીનેટની મંજૂરી, મેજીસ્ટ્રેટ આપી શકશે જામીન
Live TV
-
દિલ્હીમાં આજે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં મહત્વના એવા કેટલાંક સંશોધનને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે આ ગુનો બિન-જામીનપાત્ર રહેશે પરંતુ જો મેજિસ્ટ્રેટ ઇચ્છે તો ગુનેગારને જામીન આપી શકે છે.
ગુરૂવારનાં રોજ કેન્દ્રીય કેબિનટેની બેઠકમાં ત્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ, 2017માં કેટલાંક સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. સંશોધન અનુસાર, હવે પીડિતાનાં સંબંધી પણ હવે FIR દાખલ કરાવી શકે છે. સાથે સાથે કેબિનેટમાં આજે પ્રધાનમંત્રી ગ્રામ સ્વરાજ યોજના તેમજ પ્રધાનમંત્રી સડક યોજના માટે ખાસ ફંડની ફાળવણી પણ કરવામાં આવી.
જેમાં ગ્રામ સડક યોજના માટે 84 હજાર 934 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તો ગરીબ વર્ગનાં લોકો માટે ખાસ રાહતરૂપે પ્રતિ કિલો રૂપિયા 15માં દાળ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઓબીસી માટે પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપને 3 વર્ષ માટે વધારવામાં આવી છે.
