આજે દેશભરમાં ભગવાન મહાવીરની જયંતિની ધામધૂમથી ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના
આજે ભગવાન મહાવીર જયંતિનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વ જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણના વિશેષરૂપે મનાવવામાં આવે છે. આ પર્વ જૈનોનો સૌથી મુખ્ય તહેવાર છે અને લોકો આ પર્વને ઉત્સાહ અને ધામધૂમથી મનાવે છે. ભગવાન મહાવીરે લોક કલ્યાણ માટે જીવન પર્યંત સકારાત્મક સંદેશ આપ્યો. સાથે જ પોતાના ભક્તોને અહિંસા, સત્ય, અખંડતા, બ્રહ્મચર્ય અને સ્વત્વ ત્યાગનું પાલન કરવાનું કહ્યું છે. લોકોને સત્ય અને અહિંસાનો રસ્તો બતાવનારા ભગવાન મહાવીરની જયંતિનું વિશેષ મહત્વ હોય છે. આજે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રીએ મહાવીર જયંતિ પર લોકોને શુભકામના પાઠવી છે..
