આજે દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહાની ઉજવણી
Live TV
-
ત્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને સરકાર દરેક પ્રકારની સુવિધા આપવામાં લાગી છે. પ્રદેશમાં કલમ 370 હટાવ્યા બાદના ઘણા દિવસોથી ઘાટીમાં માહોલ શાંતિભર્યો જોવા મળી રહ્યો છે.
આજે દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને સરકાર દરેક પ્રકારની સુવિધા આપવામાં લાગી છે. પ્રદેશમાં કલમ 370 હટાવ્યા બાદના ઘણા દિવસોથી ઘાટીમાં માહોલ શાંતિભર્યો જોવા મળી રહ્યો છે. શ્રીનગરમાં પરિવહનની સેવાની સાથે હવાઈ સેવા પણ સામાન્ય છે. વેપાર અને ધંધા પણ સુચારૂ રૂપે ચાલું છે અને લોકો પણ ઉત્સાહભેર ઈદની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. શ્રીનગરમાં 6 મંડીઓ અને બજાર કાર્યરત છે તો બેંક અને એટીએમ પણ સુચારૂ રૂપે કાર્યરત છે. આ ઉપરાંત સરકારે જમ્મુ-કાશ્મીરમાં લોકો અને કર્મચારીઓની સુવિધા માટે અનેક પગલાઓ ભર્યા છે.રજાના દિવસે પણ હવે બેંક ખુલ્લી રહેશે,. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 300 વિશેષ ટેલીફોન બુથ બનાવવામાં આવ્યા છે, જેથી લોકો પોતાના પરિવારજનો સાથે વાત કરી શકે.
