આજે પારસીઓનું નૂતનવર્ષ પતેતી છે. પારસીઓ નવા વર્ષના વધામણા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
આજે પારસીઓનું નૂતનવર્ષ પતેતી છે. પારસીઓ નવા વર્ષના વધામણા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડા ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોચ્યાં હતાં અને સવારે વિશેષ પુજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પારસી ધર્મગુરુ દસ્તુરજી ખુરસેદજી કેકોબાદએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન અંગે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અને દેશવાસીઓની યાદમાં અટલજી કાયમ અટલ રહેશે તેવું જણાવ્યું હતું. પતેતીના પાવન પ્રસંગે પારસી ધર્મગુરુએ વિશ્વમાં વસતા પારસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
