કેરળ પૂરગ્રસ્તો માટે PMએ 500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત
Live TV
-
તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
કેરળની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી રહ્યા છે. તે પહેલાં તેમણે મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ અગાઉ શુક્રવારે PM મોદીએ ફોન કરીને કેરળના મુખ્યમંત્રી સાથે પૂરની સ્થિતિ પર વાતચીત કરી હતી. NDRF અને રાજ્ય બચાવદળ સાથે સેનાની ત્રણેય પાંખ, રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું હતું કે, અત્યાર સુધી રાહત અને બચાવ કાર્યમાં 50 હજાર પરિવારના એક લાખ 20 હજાર લોકોને રાહત કેમ્પોમાં પહોંચાડ્યા છે.પૂર અંગેની સ્થિતિ જાણવા વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી વિજયન અને અન્ય મંત્રીઓ સાથે બેઠક કરી. ત્યારબાદ કેરળને 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી.
