11મું વિશ્વ હિન્દી સંમેલન આજથી મોરેશિયસમાં શરૂ
Live TV
-
કાર્યક્રમના પ્રારંભમાં જ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..
11મું વિશ્વ હિન્દી સંમેલન આજથી મોરેશિયસમાં શરૂ થયુ છે... સંમેલનનું ઉદઘાટન મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ કુમાર જગન્નાથ દ્વારા કરવામાં આવ્યુ... વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સહિત ભારતના ઘણા અન્ય મંત્રી પણ સંમેલનમાં ભાગ લેવા પહોચ્યા છે.. આ વખતે મુખ્ય વિષય "હિન્દી વિશ્વ અને ભારતીય સંસ્કૃતિ" રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનની સફળતા માટે શુભકામના પાઠવી હતી. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂરો વિશ્વાસ છે કે આ સંમેલન, વિશ્વમાં હિન્દી ભાષાના પ્રયોગ અને તેની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રોત્સાહન આપશે.કાર્યક્રમના પ્રારંભમાં જ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..
