આજે રાજ્યસભામાં રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ
Live TV
-
સરકાર બિલ પ્રત્યે સમર્થનને લઇને પૂરી રીતે આશ્વસ્ત
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થયા બાદ સરકાર આજે રાજ્યસભામાં રજૂ કરશે. આંકડાકીય રીતે જોઇએ તો સરકાર બિલ પ્રત્યે સમર્થનને લઇને પૂરી રીતે આશ્વસ્ત છે. લોકસભામાં આ બિલના પક્ષમાં 311 મત આવ્યા હતા જ્યારે વિરોધમાં 80 મત પડ્યા હતા. આશા છે કે JDU, BJD,YSR, અને પૂર્વાત્તરના કેટલાક પક્ષો સાથે આવવાના કારણે ,સરકારને આ બિલ પાસ કરાવવામાં કોઇ મુશ્કેલી પડશે નહી. જો કે પૂર્વોત્તરના ઘણાં રાજ્યોમાં આ વિધેયકની વિરુધ્ધમાં વિશેધ પ્રદર્શન થઇ રહ્યાં છે. લોકોને એ વાતનો ડર છે કે આ વિધેયક કાયદાનુ રૂપ લીધા બાદ જે શરણાર્થીઓને નાગરિકતા મળશે, તેમની ઓળખ , ભાષા અને સંસ્કૃતિને જોખમ ઉભુ થશે. જોકે કેન્દ્રી ગૃહમંત્રી અમિતશાહે સ્પષ્ટ કહ્યું છે કે પૂર્વોત્તરના લોકોને ડરવાની જરૂરીયાત નથી. રાજ્યસભામાં આજે અમિતશાહ CAB વિધેયક રજૂ કરશે
