આજે લોક સેવા પ્રસારણ દિનની કરવામાં આવી રહી છે ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ઓલ ઈન્ડિયા રેડિયોની પહેલી અને એકમાત્ર મુલાકાત નિમિત્તે આજે લોક સેવા પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
1947 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ઓલ ઈન્ડિયા રેડિયો દિલ્હીના સ્ટુડિયોની મુલાકાત નિમિત્તે દર વર્ષે લોક સેવા પ્રસારણ દિન ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતાએ ભાગલા પછી હરિયાણાના કુરુક્ષેત્રમા અસ્થાયી ધોરણે સ્થાયી થયેલા વિસ્થાપિત લોકોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે નિમિત્તે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના પ્રાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજે જાહેર સેવા પ્રસારણ દિવસે અખિલ ભારતીય રેડિયોના લાખો શ્રોતાઓને તેમની શુભકામનાઓ પાઠવતા પ્રસાર ભારતીના અધ્યક્ષ ડો. એ સૂર્ય પ્રકાશે કહ્યું છે કે મહાત્મા ગાંધી ઓલ ઈન્ડિયા રેડિયોની મુલાકાત લીધી તે ઇતિહાસનો મહત્વપૂર્ણ દિવસ હતો.
આ દિવસ ગુરુ નાનક દેવજીની 550 મી જન્મજયંતિ નિમિત્તે તેમણે કહ્યું કે લોકશાહીની પરંપરાઓને જાળવવા અને વિવિધ સમુદાયોને સરખી તકો પૂરી પાડવા પ્રસાર ભારતીને લોક સેવા પ્રસારણની જવાબદારી સોંપવામાં આવી હતી, તે માટે પ્રસાર ભારતી સતત પ્રયત્નશીલ રહેશે
