આજે વિશ્વ વાઘ દિવસ : 3000 વાઘ સાથે ભારત સુરક્ષિત નિવાસ્થાન
Live TV
-
PMએ વાઘ સમીક્ષા 2018નો રિપોર્ટ જાહેર કર્યો
આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વાઘ સમીક્ષા 2018નો રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની સૌને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે ભારત લગભગ ત્રણ હજાર વાઘ સાથે દુનિયાના સૌથી મોટા અને સુરક્ષિત નિવાસસ્થાનોમાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, ભારતે નિર્ધારિત લક્ષ્ય ચાર વર્ષ અગાઉ મેળવ્યં છે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. સંકલ્પ સે સિદ્ધિ તો કેન્દ્રીય પર્યાવરણ , વન અને જળવાયું મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ગત પાંચ વર્ષમા દેશમાં વનક્ષેત્રે વધુ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચાર વર્ષ પહેલાં વાઘોની સંખ્યા બે હજાર 226 હતી જેને લોકોમાં જાગૃત થયા અને તેના આજે શ્રેષ્ઠ પરિણામો મળી રહ્યા છે.
