સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મોઝામ્બિકના પ્રવાસે
Live TV
-
સૈન્ય સહયોગને ઉત્તેજન આપતી સમજૂતી પર કરશે હસ્તાક્ષર
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ત્રણ દિવસના મોઝામ્બિકના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન સૈન્ય સહયોગને ઉત્તેજન આપવા માટે ત્રણ દ્વિપક્ષીય સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાશે. રાજનાથસિંહ પોતાના પ્રવાસ દરમિયાન મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, રક્ષામંત્રી, વિદેશમંત્રી અને ગૃહમંત્રી સાથે વાતચીત કરશે. રક્ષામંત્રીના આ પ્રવાસ દરમિયાન ભારત-મોઝામ્બિકને બે ઝડપી ચાલતી નૌકા અને 44 વાહનો સુપરત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જુલાઈ 2016માં દક્ષિણી આફ્રિકી દેશોની મુલાકાત બાદ ભારત અને મોઝામ્બિક વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે
