વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીના આજે અંતિમ સંસ્કાર
Live TV
-
હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ. જયપાલ રેડ્ડીના અંતિમ સંસ્કાર આજે હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે કરાશે. રેડ્ડીનું શનિવારે મોડી રાત્રે હૈદરાબાદની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવા તેમના પાર્થિવ શરીરને ગાંધીભવનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં લોકો અને પાર્ટી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
