આજે સશસ્ત્ર સેના ઝંડા દિવસઃ જવાનોના હિંમત, શૌર્ય,બલિદાનને બિરદાવવાનો દિવસ
Live TV
-
આજે ઉજવાઈ રહ્યો છે સશસ્ત્ર સેના ઝંડા દિવસ - અભૂતપૂર્વ ત્યાગ અને બલિદાનની ભાવના સાથે દેશની રક્ષા કરનારા શહીદ સૈનિકોની યાદમાં આ દિવસની ઉજવણી કરાય છે.
આજે સશસ્ત્ર સેના ઝંડા દિવસ છે. આજનો દિવસ દેશની રક્ષા કરતા અભૂતપુર્વ ત્યાગ અને બલીદાન આપનાર શહીદ સૈનિકોની યાદમાં મનાવવામાં આવે છે. પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારના ત્યાગ ને સન્માન પૂર્વક યાદ કરવા અને સામાન્ય નાગરિકોનો તેમના પ્રત્યે આભાર વ્યકત કરવા માટે આજના દિવસનું ખાસ મહત્વ છે. ઝંડા દિવસે સશસ્ત્ર સેનાના આશ્રીતોના કલ્યાણ અને પુન:વાસ માટે ઝંડા દિવસ ફંડમાં ઉદારતા પૂર્વક યોગદાનની અપીલ કરવામાં આવે છે. જે તેમના પ્રત્યે એકજુથતા પ્રદર્શીત કરવાનો એક સારો અવસર છે.
ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ, સરકારને તેના સુરક્ષા કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 28 ઓગષ્ટ, 1949 ના રોજ રક્ષામંત્રીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી સમિતિએ 7 ડિસેમ્બરે વાર્ષિક સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી પાછળનો વિચાર એ હતો કે સામાન્ય લોકોમાં નાના ધ્વજ વહેંચવામાં આવે અને બદલામાં દેશ માટે લડનારા સશસ્ત્ર દળના જવાનોના પરિવારો અને આશ્રિતો માટે દાન એકત્રિત કરવામાં આવે. આ જ કારણસર સશસ્ત્ર સેના ઝંડા દિનને વધુ મહત્વ આપવામાં આવે છે. કારણ કે તે વિચારે છે કે ભારતની સિવિલિયન વસ્તીની જવાબદારી છે કે તેઓ દેશ માટે લડનારા સશસ્ત્ર દળના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ રાખે.
