આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી, દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
Live TV
-
સ્વામિ વિવેકાનંદની આજે જન્મજયંતી છે, દેશમાં મહાન આધ્યાત્મીક નેતાઓમાં પ્રમુખ સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મ, વેદાંત અને યોગથી પરીચીત કરાવ્યા..વર્ષ 1853 માં વિશ્વ ધર્મ સંસદમાં આપેલા તેમનાં પ્રસિધ્ધ ભાષણ પછી તેઓ પશ્ચિમી વિશ્વમાં લોકપ્રિય બની ગયા..
સ્વામિ વિવેકાનંદની આજે જન્મજયંતી છે, દેશમાં મહાન આધ્યાત્મીક નેતાઓમાં પ્રમુખ સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મ, વેદાંત અને યોગથી પરીચીત કરાવ્યા..વર્ષ 1853 માં વિશ્વ ધર્મ સંસદમાં આપેલા તેમનાં પ્રસિધ્ધ ભાષણ પછી તેઓ પશ્ચિમી વિશ્વમાં લોકપ્રિય બની ગયા. વિવેકાનંદ 19મી સદીનાં આધ્યાત્મિક ગુરૂ રામકૃષ્ણ પરમહંસનાં પ્રમુખ શીષ્ય હતા. તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મીશનનાં સંસ્થાપક રહ્યા. સ્વામિ વિવેકાનંદની જયંતિ દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સ્વના સમાપન સમારોહને વીડિયો કોન્ફરેન્સીંગનાં માધ્યમથી સંબોધીત કરશે. જેની સાથે સાંસદનાં કેન્દ્રીય સાંસદનાં કક્ષથી એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમ યુવા ઉત્સવ નવા ભારતની શરૂઆત થશે. આ સમારોહનું આયોજન યુવાકાર્ય અને ખેલ મંત્રાલય કરી રહ્યુ છે. મંત્રાલય દર વર્ષે ભારત યુવા શક્તિનાં પ્રતિક સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિનાં અવસરે આ કાર્યક્રમનુ આયોજન કરે છે. આ વર્ષે સમારોહનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી રહ્યુ છે અને દરેક રાજ્ય આમાં ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવનાં અંતર્ગત મુખ્યરૂપે પ્રદર્શનીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, યુવા કલાકારોનાં શીબીર, સેમિનાર, સાહસિક કાર્યોથી સંબંધિત કાર્યક્રમ અને માર્શલ આર્ટ સ્પર્ધાઓ સામેલ હશે.. યુવા મહોત્સવ દરમ્યાન રાષ્ટ્રીય યુવા પુરષ્કાર પણ આપવામા આવશે.
