દેશ અને રાજયમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા અસરકારક પગલાને કારણે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.... સોમવારે રાજ્યમાં કોરોના સંક્રમણના 615 નવા કેસ નોંધાયા હતા....
રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા અસરકારક પગલાને કારણે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.... સોમવારે રાજ્યમાં કોરોના સંક્રમણના 615 નવા કેસ નોંધાયા હતા....તો 746 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા ત્યારે કોરોનાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 95.23 ટકા થયો છે... તો દેશમાં છેલ્લા 24 કલાકમાં , કોરોના સંક્રમણના 18 હજાર 645 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 18 હજાર 385 દર્દીઓ સાજા થયા છે.. દેશમાં કોરોનાના કુલ 2 લાખ 16 હજાર 558 એક્ટિવ કેસ છે... દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ સાત લાખ પાંચ હજાર નવસો પચાસ લોકો સાજા થયા છે.... જ્યારે કોરોનાથી દેશમાં એક લાખ પચાસ હજાર નવસો નવ્વાણું લોકોના મૃત્યુ થયા છે..
