આજે PM ઝારખંડને આપશે 27 હજાર કરોડની વિકાસ યોજનાઓની ભેટ
Live TV
-
સરકારી હોસ્પિટલોમાં , જેનરિક દવાઓના 250 જેટલા જન ઔષધી કેન્દ્રોની શરૂઆત પ્રધાનમંત્રી રિમોટ દ્વારા કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે ઝારખંડના એક દિવસીય પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ 27 હજાર કરોડની વિકાસ યોજનાઓનો શિલાયન્સ કરશે. જેમાં દેવઘરમાં બનનારી એઇમ્સના ભૂમિ પૂજનનો પણ સમાવેશ થાય છે. 750 બેડવાળી આ હોસ્પિટલ , 237 એકર જમીન પર વિસ્તરેલી હશે. તેનું નિર્માણ ચાર વર્ષમાં પૂરૂ થશે. સરકારી હોસ્પિટલોમાં , જેનરિક દવાઓના 250 જેટલા જન ઔષધી કેન્દ્રોની શરૂઆત , પ્રધાનમંત્રી રિમોટ દ્વારા કરશે. આ ઉપરાંત દેવઘરમાં , તેઓ એરપોર્ટનો પણ શિલાયન્સ કરશે. રૂપિયા 18 હજાર, 668 કરોડના ખર્ચે બનનારા , પત્રાતુ પાવર પ્લાન્ટની સાથે , સાત હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનારા, સેન્દ્રિય ખાતરના કારખાનાનો શિલાયન્સ પણ , પ્રધાનમંત્રીના હસ્તે થશે.
