આતંકવાદીઓ આર્થિક મદદ કરનારની સંપત્તિ ટાંચમાં
Live TV
-
સરકારે આંતકવાદીઓને આર્થીક મદદ કરનાર લોકોની સંપતિ ટાંચમાં લેવાનું શરૂ કર્યું છે. આંતકવાદિઓને આર્થીક મદદ ન મળે તે હેતુથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય તપાસ એજન્સીએ આ મામલે 13 વ્યકિતઓની સંપતિની ઓળખ કરી છે. જેમાં સૌથી પહેલા હરીયાણાના ગુરૂગ્રામ ખાતે અહમદશાહ વટાલીના બંગલા ને ટાંચમાં લિધો છે. વટાલી હાલમાં તિહાડ જેલમાં છે. જે આતંકવાદીઓને આર્થીક મદદ પહોચાંડતો હતો. ઉલ્લેખનીય છે કે વટાલીને જમાત-ઉદ-દાવાના અધ્યક્ષ હાફીજ સઈદ અને ISIS ,અને નવિ દિલ્હી સ્થીત પાકિસ્તાન ઉચ્ચ આયોગ તરફથી આર્થીક મદદ મળતી હતી.
