આતંકવાદી હુમલો કરનાર અને સમર્થન આપનારને કિંમત ચૂકવવી પડશે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પુલવામાના શહીદોને અંજલિ આપતા , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું , કે સુરક્ષા દળોને , પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. આતંકવાદી હુમલો કરનાર , અને સમર્થન આપનારને ,, કિંમત ચૂકવવી પડશે.
મેક ઇન ઇન્ડિયાને બુસ્ટર ડોઝ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને , રાષ્ટ્રને અર્પણ કરી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીને , તેમણે ટ્રેનને રવાના કરી હતી. બનારસ અને દિલ્દી વચ્ચે દોડનારી આ ટ્રેનને,, મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત , ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. ટ્રેન વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવે છે , અને પ્રતિ કલાક 180 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ટ્રેનમાં 14 ચેર કાર કોચ, અને બે એક્ઝિક્યુટિવ પ્લસ કોચનો સમાવેશ થાય છે. રૂપિયા 100 કરોડના ખર્ચે , ટ્રેન તૈયાર થઈ છે.
આ પ્રસંગે પણ પુલવામાના શહીદોને અંજલિ આપતા , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું , કે સુરક્ષા દળોને , પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. આતંકવાદી હુમલો કરનાર , અને સમર્થન આપનારને ,, કિંમત ચૂકવવી પડશે.
