આતંકવાદ વિરુદ્ધ ચૂન ચૂન કે હિસાબ લેના મેરી ફિતરત: PM
Live TV
-
આતંકવાદ પર રાજનીતિ કરતાં વિપક્ષ પર વરસ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી- જણાવ્યું ચૂન ચૂન કે હિસાબ લેના મેરી ફિતરત જો આગ આપ કે દિલ મે વો આગ મેરે દિલ મે ભી- દેશ વિરૂદ્ધ ખરાબ કરનારને સજા અને સારૂં કરનારને આખું સન્માનનું જણાવતા પ્રધાનમંત્રી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું હતું અને બાદમાં મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. તેમણે આજે સિવિલ ખાતે નવી મહિલા, બાળ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું.
તેમણે આતંકવાદ વિરુદ્ધ વાત કરતાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જે આગ દેશવાસીઓના મનમાં છે, તે જ મારા મનમાં છે. હું આતંકીઓને છોડીશ નહીં અને ચૂન ચૂન કે હિસાબ લેના મેરી ફિતરત હે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
