કોઈમ્બતુર-રાષ્ટ્રપતિએ વાયુસેનાના મથકે બે એકમોને ધ્વજ પ્રદાન કર્યા
Live TV
-
સુલ્લુર બેઝે રીપેર ડેપો અને હૈદરાબાદ નજીકના હાકિમ પેટ વાયુ સેના પ્રશિક્ષણ કેન્દ્રને ઉત્કૃષ્ટ કાર્યો માટે રાષ્ટ્રપતિએ ધ્વજ પ્રદાન કર્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોઈમ્બતુર નજીક વાયુ સેનાના સુલ્લુર મથક ખાતે બે એકમોને ધ્વજ પ્રદાન કર્યા હતા. સુલ્લુર બેઝે રીપેર ડેપો અને હૈદરાબાદ નજીકના હાકિમ પેટ વાયુ સેના પ્રશિક્ષણ કેન્દ્રને ઉત્કૃષ્ટ કાર્યો માટે રાષ્ટ્રપતિએ ધ્વજ પ્રદાન કર્યા હતા. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત શાંતિ પ્રિય દેશ છે, પરંતુ દેશની રક્ષા માટે જરૂરી પગલાં લે છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતં કે તાજેતરમાં જ આપણે વાયુ સેનાનું પરાક્રમ જોયું. રાષ્ટ્રપતિ તમિલનાડુના ત્રણ દિવસના પ્રવાસે છે.


