આતંકીઓ પરની કાર્યવાહીથી દીદી છે પરેશાન, PM મોદીનું કૂચબિહારમાં સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી આ ઉપરાંત આજે મણિપુર અને ત્રિપુરામાં ચૂંટણી રેલીને સંબોધશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કુચબિહારમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે જનતા જર્નાદનને સંબોધતાં કહ્યું કે, આજે ચોકીદાર ઉપર દેશને એટલા માટે વિશ્વાસ છે. કેમ કે લોકોને જણાઈ રહ્યું છે કે, નામુમકીન હવે મુમકીન બની રહ્યું છે. હાલમાં ગરીબ પાસે પોતાનું બેન્ક ખાતુ અને ક્રેડિટ કાર્ડ આવી ગયું છે.
આજે ગરીબના ઘરમાં એલપીજી ગેસ પહોંચી ગયો છે. પ્રધાનમંત્રીએ સરકારની ઉપલબ્ધી ગણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કુચબિહારના વિકાસ માટે કરોડો રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. તેમણે મમતા બેનરજી ઉપર આરોપ લગાવ્યો હતો કે તેઓ દેશના ટૂકડા કરનાર સાથે જોડાયા છે.
