આતંકી જૂથ હિજબુલ મુજાહિદ્દીન દક્ષિણ કાશ્મીરમાં સમાપ્તિ તરફ: જમ્મુ-કાશ્મીરના DGP
Live TV
-
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે કહ્યું કે દક્ષિણ કાશ્મીરમાંથી આતંકવાદી જૂથ હિજબુલ મુજાહિદ્દીન લગભગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે..સોમવારે હિજબુલના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવાને મોટી સફળતા ગણાવી DGP દિલબાગ સિંહે ચેતવણી આપતા કહ્યું કે દેશના વિરુદ્ધ હથિયાર ઉઠાવવા પર આકરી કાર્યવાહી થશે...DGP દિલબાગ સિંહે કહ્યું કે સોમવારે ઠાર કરાયેલા આતંકવાદીઓમાથી આતંકી આદિલ બશીર શેખ શોપિયાના જૈનપુરાનો વિશેષ અધિકારી હતો....વધુમાં કહ્યું કે આતંકી નવીદ સાથે પૂછપરછમાં પોલીસને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના બે મોટા ઠેકાણાઓનો પર્દાફાશ થયો છે...મહત્વનું છે કે આતંકવાદ વિરોધી કાર્યવાહીઓમાં આ વર્ષે અત્યાર સુધીમાં આઠ આતંકવાદીઓને ઠાર કરાયા છે, જેમાં સાત હિજબુલ અને એક જૈશનો હતો...
