આતંકી હુમલો કરનારને દેશ જડબાતોડ જવાબ આપશેઃ PM
Live TV
-
પુલવામાના શહીદોને અંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. આતંકવાદી હુમલો કરનાર અને સમર્થન આપનારને કિંમત ચૂકવવી પડશે.
મેક ઇન ઇન્ડિયાને બુસ્ટર ડોઝ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રાષ્ટ્રને અર્પણ કરી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીને તેમણે ટ્રેનને રવાના કરી હતી.
બનારસ અને દિલ્હી વચ્ચે દોડનારી આ ટ્રેનને મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. ટ્રેન વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવે છે , અને પ્રતિ કલાક 180 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
ટ્રેનમાં 14 ચેર કાર કોચ અને બે એક્ઝિક્યુટિવ પ્લસ કોચનો સમાવેશ થાય છે. રૂપિયા 100 કરોડના ખર્ચે ટ્રેન તૈયાર થઈ છે. આ પ્રસંગે પણ પુલવામાના શહીદોને અંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. આતંકવાદી હુમલો કરનાર અને સમર્થન આપનારને કિંમત ચૂકવવી પડશે.
