આદર્શ આચારસંહિતા ભંગના કેસમાં ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
Live TV
-
આદર્શ આચારસંહિતા ભંગના કેસમાં ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચનું કહેવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં વર્ધામાં આપેલું નિવેદન આચાર સંહિતાનું ભંગ નથી કરતું વર્ધામાં ચૂંટણી રેલીને સંબોધતાં વાયનાડથી ચૂંટણી લડવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. આ કેસમાં સુપ્રીમકોર્ટે મંગળવારે ચૂંટણી પંચને નોટિસ જારી કરી હતી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આચાર સંહિતાના ભંગ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે પગલાં લેવા ચૂંટણી પંચને સૂચના આપવાની માંગણી કરી હતી.
